Search for:
  • Home/
  • મનોરંજન/
  • વિશ્વગુરુ – જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી!

વિશ્વગુરુ – જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી!

વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ હાજર રહ્યા અને દર્શકોમાંથી શરૂઆતથી જ તદ્દન સારો પ્રતિસાદ મળ્યો.

વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે કે જે માત્ર દેશભક્તિના ભાષણોથી નહીં, પણ કાર્યશીલ વિચારોથી આગળ વધે છે. ફિલ્મની કહાણી આજના સમયમાં પણ સંબંધિત લાગે એવું પ્લોટ ધરાવે છે – જ્યારે એક વિદેશી તાકાત ભારતને અંદરથી ખોખલું કરવા વિવિધ ઉપાયો અજમાવે છે, ત્યારે એક સંસ્થા જ્ઞાન અને સંસ્કૃતિના આધારે તેનો સામનો કરે છે.

મુકેંશ ખન્ના ‘કશ્યપ’ તરીકે શ્રેષ્ઠ અભિનય રજૂ કરે છે. આ ફિલ્મ થકી તેમણે ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું છે. તેમણે હિંદી ભાષામાં પોતાનો પાત્ર જીવંત કર્યો છે. ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, શ્રદ્ધા ડાંગર અને સોનૂ ચંદ્રપાલ જેવા અવ્વલ કક્ષાના કલાકારોએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. દરેક પાત્રમાં સ્પષ્ટ આદર્શો અને આંતરિક સંઘર્ષ જોવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે કર્યું છે અને નિર્માણ સુકૃત પ્રોડક્શન્સ દ્વારા થયું છે. આ દરેકની મહેનત રંગ લાવશે તે તો નક્કી જ છે.

ફિલ્મનું દિગ્દર્શન અને ફિલ્મેટોગ્રાફી તદ્દન ધ્યાં ખેંચે તેવી છે. ક્યાંક ભારતીય શાસ્ત્રોનો ઊંડો આધાર છે તો ક્યાંક આધુનિકતાની નાની ઝલક પણ દેખાય છે. લડાઈ શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી જીતી શકાય છે !– એવો સંદેશ વારંવાર સ્પષ્ટ રીતે દેખાય છે. મેહુલ સુરતીનું સંગીત ફિલ્મને ભાવનાત્મક ઊંચાઈ આપે છે.

કુલ મળીને વિશ્વગુરુ એ એવી ફિલ્મ છે કે જે ફક્ત ગુજરાતી સિનેમાની કસોટી ઉપર નહીં, પણ દરેક ભારતીય માટે એક વિચાર જગાવતી ફિલ્મ બની શકે. ફિલ્મના કેટલાક સંવાદ લાંબા સમય સુધી દિમાગમાં રહેશે અને એને માત્ર એક ફિલ્મ નથી પણ સારો સંદેશ આપતી કહાણી છે.